મુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા

  • May 02, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની મુખ્ય શાક માર્કેટના દરવાજા આડે લારી તેમજ પાથરણા પાથરી શાકબકાલા અને ફ્રૂટનો ધંધો કરતા લોકોએ દરવાજા બંધ કરી દીધા હોવાની લેખિત ફરિયાદ મહાપાલિકાના એસ્ટેટ વિભાગમાં થયાના પગલે આજે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ તેમજ દબાણ હટાવ સેલની ટીમ દોડી ગઈ હતી. અને શાકમાર્કેટના દરવાજા આડે થયેલદબાણો દૂર કરી દરવાજા ખુલ્લા કરાવ્યા હતા. ઉપરાંત શાક માર્કેટ તેમજ ફ્રૂટ માર્કેટના મુખ્ય રોડ પરની લારી ધારકોને રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ નહીં કરવા તાકીદ કરી હયી. તો બીજી બાજુ શાક માર્કેટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ એસ્ટેટ વિભાગે દેખા દેતા કેટલાક  દબાણકર્તાઓમાં ભાગદોડ મચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application