રાજકોટમાં ગઇકાલે બપોર બાદથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ મેઘાવી માહોલ વચ્ચે શહેરના રૈયાધાર વિસ્તારમાં કરૂણ ઘટના બની હતી. અહીં વીજ થાંભલા પાસે અજાણતા ચાર વર્ષની બાળકી વીજ વયારને અડી જતા શોક લાગતા તેનું મોત થયું હતું. ચાર વર્ષની દીકરીના આ રીતે અણધાર્યા મોતથી તેણીના માતા-પિતા આઘાતમાં સરી પડયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયાધાર વિસ્તારમાં મચ્છુનગરમાં રહેતા જીવનભાઇ ડઢાણીયાની ચાર વર્ષની દીકરી કિંજલ ગઇકાલે તેની માતા સાથે માસીના ઘરે ગઇ હતી. બાદમાં સાંજના સમયે માતા-પુત્રી ચાલીને ઘરે જઇ રહ્યા હતાં. દરમિયાન અહીં ઘર પાસે રમતા રમતા બાળકી અજાણતા વીજ થાંભલા પાસે આવેલા વીજ વયારને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો.જેની જાણ થતા તેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે આ માસુમે આંખો મીંચી દીધી હતી. બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ હિતેશભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
વીજ શોક લાગતા મોતને ભેટનાર ચાર વર્ષની કિંજલ એક ભાઇ એક બહેનના પરિવારમાં નાની હતી.તેના પિતા મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવને લઇ ડઢાણીયા પરિવારમાં માતમ છવાય ગયો હતો.
રાવકીમાં ટી.સી.ફાટતા નવ વર્ષનો બાળક દાઝી ગયો
લોધિકા તાલુકાના રાવકી ગામે કારખાનામાં કામ કરનાર મૂળ ઝાંસીના વતની શ્રમિક પરિવારનો નવ વર્ષનો બાળક રૂહુલે અમીન મોહંમદજાકીર પઠાણ સાંજે અહીં કારખાના પાસે રમતો હતો.ત્યારે વીજ ટ્રાન્સફમર ઓચીંતુ ફાટતા બાળક દાઝી ગયો હતો.જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાળક ચાર બહેન અને ત્રણ ભાઇના પરિવારમાં વચેટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech