ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં 75 ટકા એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરવાના આદેશ બાદ દેશના બેંકિંગ ક્ષેત્રમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે RBI ધીમે ધીમે 500 રૂપિયાની નોટ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તો શું હવે 2000 રૂપિયાની નોટ બાદ 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ શકે છે? ચાલો નિષ્ણાતો પાસેથી આ સમગ્ર મામલો સમજીએ.
બેંકિંગ નિષ્ણાત અને વોઈસ ઓફ બેંકિંગના સ્થાપક અશ્વિની રાણાના મતે, RBI દેશમાં એટીએમ દ્વારા નીકળતા કેશમાં 100 અને 200 રૂપિયાની નોટોનું પ્રમાણ વધારવા માંગે છે, જ્યારે 500 રૂપિયાની નોટ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તેમણે જણાવ્યું કે જેમ મોટી નોટો પરની નિર્ભરતા ઘટાડવા માટે RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી હતી, તેવી જ રીતે ભવિષ્યમાં 500 રૂપિયાની નોટને પણ બંધ કરવામાં આવે તો નવાઈ નહીં. જો કે, આ અંગે અંતિમ નિર્ણય તો રિઝર્વ બેંક જ લઈ શકે છે, પરંતુ વર્તમાન સંકેતો આવા જ મળી રહ્યા છે.
નિષ્ણાતોના મતે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ડિજિટલ લેવડ-દેવડમાં થઈ રહેલો ઝડપી વધારો અને RBI દ્વારા લાવવામાં આવી રહેલી ડિજિટલ કરન્સી ઈ-રૂપી છે. આના કારણે રિઝર્વ બેંક નોટો છાપવાના ખર્ચને પણ ઓછો કરવા માંગે છે. હકીકતમાં, નોટો છાપવામાં સરકારને મોટો ખર્ચ કરવો પડે છે. તેથી RBI નાની નોટોને એટીએમમાં વધુમાં વધુ સર્ક્યુલેશનમાં લાવવા માંગે છે.
અશ્વિની રાણાએ 500 રૂપિયાની નોટોનો સંગ્રહ કરી રહેલા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે જેમ 2000 રૂપિયાની નોટોનું થયું, તેવી જ રીતે ભવિષ્યમાં તેમનું પણ થઈ શકે છે. જો કે, હાલમાં RBI તરફથી 500 રૂપિયાની નોટ બંધ કરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ નિષ્ણાતોની આ ચર્ચાએ લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો તણાવ ઘટાડવા રિપબ્લિકન સાંસદો-નેતાઓનો અનુરોધ
June 07, 2025 02:17 PMતળાજાના ભારોલી ગામે આધેડની હત્યા
June 07, 2025 02:16 PMમથાવડાના બે યુવાનોને સથરા નજીક અકસ્માતમાં ઇજા
June 07, 2025 02:15 PMનવાપરા એસપી કચેરી નજીક રહેતા યુવાનનો આપઘાત
June 07, 2025 02:14 PMવિકસિત ભારત અમૃતકાળ અભિયાન અંતર્ગત શહેર ભાજપ દ્વારા કાર્યશાળા
June 07, 2025 02:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech