રાજકોટના ૧૫૦ ફટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી એચસીજી હોસ્પિટલમાં મણકાની નસ ની સારવાર માટે આવેલા સાયલાના હડાળાના મહિલાનું ઓપરેશન બાદ તબિયત લથડતા મોત નિપજતાં પરિવારે બેદરકારી હોવાનો આક્ષેપ કરતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરી કાર્યવાહી કરી છે.
પ્રા વિગત મુજબ સાયલાના હડાળા ગામે રહેતા સોનીબેન મંગાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) નામના મહિલાને મણકામાં દુખાવો થતો હોવાથી પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં બતાવતા મણકાની નસ દબાતી હોવાનું નિદાન થયું હતું. આથી વધુ નિદાન માટે રાજકોટની ૧૫૦ ફટ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી એચસીજી હોસ્પિટલમાં મહિના પહેલા સારવાર માટે આવ્યા હતા અને તબીબે તપાસ બાદ દવા પણ આપી હતી એમ છતાં દુખાવામાં ફેર ન પડતા તબીબે ઓપરેશન માટેનું કહેતા તા.૧ના શનિવારે સોમીબેન અને તેમના પતિ મંગાભાઈ બંને એચસીજી હોસ્પિટલએ આવ્યા હતા. યાં તેમને બે દિવસ ઓબ્સર્વેશનમાં રાખવા આવ્યા બાદ તા.૩ના સોમવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું. મૃતકના પતિ મંગાભાઈના કહેવા મુજબ ડો.પાર્થ લાલચેતાએ ઓપરેશન બરાબર થઇ ગયું હોવાનું કહ્યું હતું. બાદમાં સાંજે અમને કહેવામાં આવ્યું કે, તબિયત બરાબર નથી એટલે આઈસીયુમાં વેન્ટિલેટર પર લેવા પડશે વેન્ટિલેટર ઉપર રાખ્યા બાદ અમે અંદર જઈ ને પૂછતાં કોમામાં ચાલ્યા ગયાનું જણાવ્યું હતું.
ગઈકાલે સાંજે અમને ડોકટરે બોલાવી હવે કાંઈ રહ્યું નથી વેન્ટિલેટર કાઢી લઈએ એટલે બે–ત્રણ કલાક જીવ રહેશે તમારે ઘરે લઇ જઈ શકો છો, આથી અમે કહ્યું હતું કે, અમે ઘરે કયાં લઈ જઈએ જે સારવાર થાય એ તમે અહીં જ કરો બાદમાં મોડી સાંજે મરણ ગયાનું જાહેર કયુ હતું.
બનાવના પગલે પરિવારજનોએ હોસ્પિટલના તબીબની બેદરકારીનો આક્ષેપ કરતા મહિલાનું મોત કયાં કારણથી થયું છે એ જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડો છે. ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ મહિલાનું મોત તબીબી બેદરકારીથી થયું છે કે કેમ ? તે અંગે જાણી શકાશે. મૃતકના પતિ મંગાભાઈ ખેત મજૂરી કામ કરે છે અને સંતાનમાં ત્રણ દીકરા છે, મહિલાના મોતથી પરિવારમાં શોક છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech