કૃષ્ણપુર ગામમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં મહિલાનું વીજ આંચકો લાગતા મૃત્યુ

  • June 12, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં રહેતા ગંગાબેન ભોજાભાઇ શેઠીયા નામના ૫૫ વર્ષના પ્રૌઢ મહિલા આજે સવારે પોતાના ઘેર પાણીની મોટર ચાલુ કરવા જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ થઈને નીચે પડી ગયા હતા.


તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું વિજ આંચકો લાગવા ના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 


આ બનાવ અંગે મૃતકના પતિ ભોજાભાઇ ગોવિંદભાઈ શેઠિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવના સ્થળે તેમજ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application