યોગ સમર કેમ્પ:બાળકોમાં સ્વાસ્થ્ય અને સંસ્કારની ક્રાંતિ

  • May 28, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના યોગ સમર કેમ્પમાં બાળકોને વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુરુષાર્થને લીધે યોગ સમગ્ર વિશ્વમાં આજે  દિનપ્રતિદિન એક આગવી ઓળખ સાથે પ્રસરી રહ્યું છે ત્યારે તાજેતરમાં  પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં ભારત દેશમાં વધી રહેલી મેદસ્વીતાની ચિંતા વ્યક્ત કરી એમાંથી મુક્તિ માટે યોગ, કસરત અને ખાનપાનની આદતોને સુધારવા માટે આહ્વાન કરેલ હતુ,જે આહવાનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે અગ્રતા આપી અને સમગ્ર ગુજરાતમાં યોગના માધ્યમથી મેદસ્વીતાથી મુક્તિ પ્રાપ્ત થાય તે માટે વિવિધ શિબીરો અને સંવાદ યોજાઈ રહ્યા છે જેના ભાગ સ્વરૂપે હાલ વેકેશન ચાલતું હોય ત્યારે બાળકોના સમયનો સદુપયોગ થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય બોર્ડના પ્રચંડ પુરૂષાર્થી યોગ સેવક શિશપાલના સીધા નેતૃત્વમાં સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ૨૦૦ જેટલા કેન્દ્રો પર થઈ રહ્યું છે જેમાં ૨૦,૦૦૦ થી પણ વધારે બાળકોએ ભાગ લઈ સફળતા અપાવેલ છે આ સમર કેમ્પ  યોગ સેવક શિશપાલના માર્ગદર્શનમાં બાળકો માટે વિશેષ યોગ તેમજ હાલમાં બાળકોમાં પ્રસરી રહેલી મેદસ્વિતાથી મુક્તિ મેળવવા વિશેષ પ્રકારનું યોગનું અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે જે અભ્યાસક્રમ સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી ઝોન કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને જિલ્લા કો-ઓર્ડીનેટર કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં પણ પાંચ  વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરોનું આયોજન થયેલ છે,જે અંતર્ગત ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ અને આર્યસમાજ પોરબંદર ખાતે કાર્યક્રમ યોજાયેલ,આ કાર્યક્રમમાં શહેરના દાતાઓ  ખાસ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપેલ જેમાં ડો.કમલેશ સદાની, હેમાલીબેન કમલેશભાઈ સદાની, રસનાબેન અવતીભાઈ ગેરીયા, ચેતનભાઇ ભાનુશાલી, કૌશિકભાઈ મોતીવરસ, જોષી અજયભાઈ,તિરૂપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ કોટેચા,ઉપપ્રમુખ મિતેશભાઈ ચોલેરા, જોઇન સેક્રેટરી સંદીપભાઈ માંડવીયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સુરજભાઈ મસાણી, યોગ ટ્રેનર હંસાબેન ત્રિવેદી, ધનજીભાઈ આર્ય(પ્રમુખ આર્ય સમાજ ,પોરબંદર),કાંતિભાઈ જુંગી (મંત્રી  આર્યસમાજ, પોરબંદર) દ્વારા ભાગ લેનાર બાળકોને પૌષ્ટિક આહાર અને અભ્યાસને લગતી સ્ટેશનરીઓ કેમ્પમાં ૧૧ દિવસ પર  ભેંટ  સ્વરૂપે આપવામાં આવેલ છે.પોરબંદર જિલ્લા કોર્ડીનેટર કેતન કોટીયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડવતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમના માર્ગદર્શન હેઠળ ચમ સ્કુલ યોગ કેમ્પના મુખ્ય સંચાલક યોગ કોચ ઉર્મિષાબેન પાંજરી,સહાયક યોગ ટ્રેનર મહેશ મોતીવરસ,અંજલિ ગાંધ્રોકિયા તેમજ આર્યસમાજ યોગ કેમ્પ મુખ્ય સંચાલક જીજ્ઞાબેન ગોસ્વામી, સહ સંચાલક યોગ ટ્રેનરો  ભાવનાબેન બાદરશાહી ,ઉષાબેન વાંદરીયા,સ્વાતિબેન મઢવી, સુનિલ ડાકી , પ્રથમ લોઢારી,ઈશાન કાણકિયા,ધ્વનિ સલેટ, મોહિત શિયાળ,યશ કોટિયા,કાર્તિક માલમ,ઉષાબેન શિયાળ દ્વારા સમર યોગ કેમ્પ યોગ અને સંસ્કાર સિંચન શિબિરમાં બાળકોને ઊંચાઈ વધારવા માટે,સ્મૃતિ વધારવા માટે,મેદસ્વિતા નિવારણ વગેરે માટે  યોગ પ્રાણાયામ,મુદ્રા,ધ્યાન,શ્લોક વગેરે ની તાલીમ આપવામાં આવી રહી છે,આ કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ પરેશભાઈ દુબલ યોગ ટ્રેનરો નીતાબેન ભરાડા, હંસાબેન ત્રિવેદી,આકાશ બામણીયા, હેબીત મલેક,જીગર ગોહેલ, ધનીશ શેરાજી,યશ ડોડીયાની પણ સેવા પ્રાપ્ત થઈ રહી છે,આ યોગ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય બોર્ડની ટીમનો તેમજ ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનો તેમજ ચમ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ટ્રસ્ટી  સુરજભાઈ મસાણી, હીમાબેન મસાણી આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય મંત્રી કાંતિભાઈ જુંગી, પુસ્તક અધ્યક્ષ નાથાભાઈ લોઢારી,આર્ય વીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ કુહાડા તેમજ ઉપસ્થિત તમામ બાળકો અને તેમના વાલીઓ અને દાતાઓનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદરના કો-ઓર્ડીનેટર  કેતન કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application