BREAKING NEWS

જામ-ખંભાળીયામાં દુષ્કર્મના બનાવમાં બે આરોપી પકડાયા

  • November 20, 2025 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખંભાળીયા વિસ્તારમાં દુષ્કર્મના બનાવમાં પોલીસે તપાસ કરીને બે આરોપીને પકડી લીધા છે.


રેન્જ આઇજી અશોક યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ ગંભીર પ્રકારના ગુનાઓ અંગે સચોટ અને ઉંડાણપુર્વકની તપાસ કરી ગુનાઓ અનડીટેકટ કરવા સુચના આપવામાં આવતા ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં તા. ૧૧-૧૦ના રોજ દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ. 


આ કામના આરોપી લખન ગોવિંદ કરમુર તથા એક અજાણ્યો ઇસમ બંને આરોપીએ ફરીયાદી સાથે વારા ફરતી દુષ્કર્મ કરી તથા શરીરે સામાન્ય ઇજા કરી આરોપીઓએ જો કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


જે અનુસંધાને ઇન્ચાર્જ પીઆઇ વી.પી. માનસેતાએ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવેલ જે મુજબ પીઆઇ બી.જે. સરવૈયા તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ એનાલીસીસ અને હયુમન સોર્સની મદદથી તપાસ કરવામાં આવેલ અને સંકલન કરી બંને આરોપીઓ સીતારામ સોસાયટી, નીતા એપાર્ટમેન્ટની સામે રહેતા લખન ગોવિંદ કરમુર અને જામનગરના ગોપાલ સોસાયટી શેરી નં. ૨માં રહેતા રમેશ અરજણ ચાવડાને પકડી પાડયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application