15 માર્ચ સુધી ચૂકવી શકાશે એડવાન્સ ટેક્સ, કરદાતાઓ ઓનલાઈન પોર્ટલ પર જાતે જ ઓળખી શકશે પોતાની ભૂલ
આવકવેરા વિભાગે એક ઈ-અભિયાન શરૂ કર્યું છે, જેના દ્વારા એવા કરદાતાઓને ઈમેલ અને એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે જેમણે ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ ચૂકવ્યો તો છે પણ તેમના નાણાકીય વ્યવહારો મેળ ખાતા નથી. વિભાગે રવિવારે આ અંગે માહિતી આપી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ જણાવ્યું હતું કે આઈટી વિભાગ એવા કરદાતાઓ અને સંસ્થાઓને ઓળખવામાં રોકાયેલ છે જેમના ટેક્સ જમા અને નાણાકીય વ્યવહારો મેળ ખાતા નથી.
આવકવેરા વિભાગે આ ઈ-અભિયાન વિશે કહ્યું કે આ અભિયાનનો હેતુ એવા કરદાતાઓને ચેતવણી આપવાનો છે કે જેમના એડવાન્સ ટેક્સ અને નાણાકીય વ્યવહારો વચ્ચે તફાવત છે. આવા લોકો તેમના ટેક્સની ફરીથી ગણતરી કરી શકે છે અને 15 માર્ચ પહેલા તેમનો એડવાન્સ ટેક્સ જમા કરાવી શકે છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ નક્કી કરી છે. વિભાગે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને ટેક્સ ભરવાનો બાકી હોય, તો તે અપડેટેડ રિટર્ન દ્વારા વ્યાજ સહિત બાકીની રકમ જમા કરી શકે છે.
એક નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વ્યક્તિઓ/એન્ટિટી દ્વારા કરવામાં આવેલા ચોક્કસ નાણાકીય વ્યવહારો અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ છે. વ્યવહારોની વિગતો જોવા માટે, એન્ટિટી તેમના ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકે છે અને કોમ્પલિઅન્સ પોર્ટલ પર જઈ શકે છે. આ પોર્ટલ પર, સિગ્નીફીકન્ટ વ્યવહારો જોવા માટે ઈ-અભિયાન ટેબનો ઉપયોગ કરી શકે છે. જો કે, ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજિસ્ટર્ડ ન હોય તેવા વ્યક્તિઓ/એન્ટિટીઓએ પહેલા પોતાની નોંધણી કરાવવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech