ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીને લઈને ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ક્રિકેટ નિષ્ણાતો અને ભૂતપૂર્વ ક્રિકેટરો આ બંને મહાન ખેલાડીઓના પુનરાગમન અંગે સતત તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. જેમાં હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડી વિલિયર્સનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓ આ પસંદગીથી આશ્ચર્યચકિત ન થયાનું જણાવી રહ્યા છે.
એક વાતચીત દરમિયાન ડી વિલિયર્સે કહ્યું, ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીને માટે તેમને જરા પણ આશ્ચર્ય નથી. તેઓ આ બન્ને ખેલાડીઓ માટે ખૂબ જ ખુશ છે. ટી20 વર્લ્ડકપમાં તમારી સર્વશ્રેષ્ઠ ટીમ મોકલીને જીતવા ઇચ્છતા હોવ તો આમ કરવું જોઇએ તેવો મત આપ્યો હતો. ડી વિલિયર્સનું આ પ્રકારનું મંતવ્ય ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીને સમર્થન આપે છે સાથે જ તેમની સક્ષમતા પણ પૂરવાર કરે છે. આ સાથે ડી વિલિયર્સે એમ પણ કહ્યું હતું કે, તે એમ પણ સમજે છે કે, યુવાઓ અને સતત ટી20 રમી રહેલા ખેલાડીઓ પાસેથી તક છીનવાઈ જવાની ટીકા થઈ રહી છે.
મહત્વનું છે કે, ડી વિલિયર્સે એમ પણ જણાવ્યું હતું કે તેમની કારકિર્દીના અંતે તેમની સ્થિતિ પણ કઇક આવી જ હતી. પરંતુ વિરાટ અને રોહિતને ટી20માં તક મળી છે તે નિર્ણય યોગ્ય છે. અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ રાખી શકાય છે કે તેઓ વર્લ્ડ કપ જીતાડવામાં યોગદાન આપે.
ખાસ તો ડી વિલિયર્સે વિરાટ કોહલીના ક્રિકેટ પ્રત્યેના જુસ્સા વિશે પણ વાત કરતા કહ્યું હતું કે, વિરાટની નસ નસમાં ક્રિકેટ છે અને આ તેની પ્રેરણા છે. હું પણ આ જુસ્સાને કારણે રમતો હતો. જે દિવસે મને લાગ્યું કે આ આગ ઠંડી થઈ રહી છે, મેં રમતમાંથી નિવૃત્તિ લીધી. વિરાટે જીવનમાં સારું સંતુલન જાળવી રાખ્યું છે. ક્રિકેટની સાથે સાથે તે પરિવાર સાથે ઘણો સમય વિતાવે છે. તેણે પોતાની કારકિર્દીને ખૂબ સારી રીતે મેનેજ કરી છે, જે હું મારી કારકિર્દીના છેલ્લા તબક્કામાં કરી શક્યો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMસોખડા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોએ કારને હડફેટે લેતા આધેડનું મોત
May 03, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech