ધ્રોલ પંથકના ખારવા ગામમાં રહેતી એક યુવતિ ઘરેથી કોલેજે જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થતા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરી છે. ધ્રોલના મોટા ઇટાળા ગામના વતની અને હાલ તાલુકાના ખારવા ગામમાં રહેતી રચનાબેન જયંતીભાઇ રાઠોડ (ઉ.વ.૧૯) નામની યુવતિ ગત તા. ૧૧ના સવારના સુમારે પોતાના ઘરેથી જામનગર એ.કે. દોશી કોલેજ ખાતે જવાનું કહીને નીકળી હતી અને મોડે સુધી ઘરે પરત નહી આવતા તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી તેણીની માતા દ્વારા ગુમ થયાની ધ્રોલ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.