બોલીવૂડ એભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની 31000 કરોડ રૂપિયાની કંપની કોણ સંભાળશે?

  • June 18, 2025 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાણીતા ઉદ્યોગપતિ સંજય કપુરના અચાનક નિધનથી બધાને આઘાત લાગ્યો છે. પોલો રમતી વખતે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપુરના અચાનક અવસાન બાદ કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. કંપનીનો હવાલો કોણ સંભાળશે, ભવિષ્યની રણનીતિ શું હશે? આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ લોકોને મળી રહ્યા નથી. સંજય કપુરના અવસાન પછી 31000 કરોડ રૂપિયાની કંપનીનો હવાલો કોણ સંભાળશે તેનો જવાબ હજુ સુધી બહાર આવ્યો નથી.


સંજય કપુરની કંપની ઓટોમોબાઈલ ઉદ્યોગના મોટા નામોમાંની એક છે. તેમની કંપની સોના કોમસ્ટાર ઓટો પાર્ટ્સનું ઉત્પાદન કરે છે. જે સમગ્ર વિશ્વમાં સપ્લાય થાય છે. બ્લૂમબર્ગ અનુસાર સોના કોમસ્ટારનું માર્કેટ કેપ લગભગ 31000 કરોડ રૂપિયા છે. તેમના મૃત્યુ પછી હવે કંપનીની કમાન કોણ હાથમાં સોંપવામાં આવશે તે હજુ સપષ્ટ નથી. કંપનીના રોકાણકારો કંપનીના ઉત્તરાધિકારી અને નેતૃત્વ વિશે ચિંતિત છે.


53 વર્ષીય સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા. ગુરુગ્રામ સ્થિત તેમની કંપની એક ઓટો કમ્પોનન્ટ કંપની છે. વાહનના ભાગો બનાવતી આ કંપની સમગ્ર વિશ્વમાં વાહનના ભાગો સપ્લાય કરે છે. ઓટો ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિઓમાંના એક સંજય ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ચેરમેન પણ હતા. સંજય 2015માં તેમના પિતાના મૃત્યુ પછીથી આ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયને વિશ્વભરમાં વિસ્તાર્યો. કંપનીનું માર્કેટ કેપ 31000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. સંજયના ગયા પછી કંપનીનું નેતૃત્વ કોણ કરશે તે અંગેની અનિશ્ચિતતાની પણ કંપનીના શેર પર અસર પડી. સોના કોમસ્ટારના શેર 8 ટકા ઘટ્યા.


સંજય કપુરના મૃત્યુ પછી સોના કોમસ્ટારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કંપની સંજય કપુરના વિચાર, તેમના મૂલ્યો અને તેમની પ્રતિબદ્ધતાને આગળ ધપાવશે. તેમણે ગ્રાહકો, રોકાણકારો, ભાગીદારો, કર્મચારીઓ અને શેરધારકોને વિશ્વાસ રાખવા અપીલ કરી. કંપનીએ સ્પષ્ટ કર્યું કે કંપનીનું કાર્ય અને ભવિષ્યની યોજનાઓ ચાલુ રહેશે. સંજય કપૂરને બે બહેનો મંદિરા કપૂર અને સુપર્ણા મોટવાણી છે. એવું માનવામાં આવે છે કે સંજયના મૃત્યુ પછી બંને બહેનો તેમનો વ્યવસાય સંભાળી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


સંજયને ત્રણ બાળકો છે. તેમની પહેલી પત્ની નંદિતા મહતાની સાથેના લગ્નથી તેમને કોઈ સંતાન નથી. તેમણે 2003માં કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા અને બંને 2016માં અલગ થઈ ગયા હતા. સંજય અને કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન છે. 2017માં સંજયે અભિનેત્રી પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયાના છૂટાછેડા થઈ ગયા હતા. પ્રિયાને તેના પહેલા લગ્નથી એક પુત્રી સફિરા ચટવાલ છે જેને સંજય કપુરે દત્તક લીધી હતી. સંજય સાથે લગ્ન કર્યા પછી બંનેને એક પુત્ર અઝારિયસ છે. એટલે કે સંજય કપૂરને કુલ 4 બાળકો છે. જોકે આ બાળકો હજુ નાના છે અને આટલા મોટા વ્યવસાયની જવાબદારી સંભાળી શકે તેમ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News