ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે ભાજપ-કોંગ્રેસે પ્રતિમાને હારતોરા કર્યા
ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના મહા પરી નિર્વાણ દિવસે આજે લાલબંગલા સર્કલ પાસે કોર્પોરેશનના મેદાનમાં આવેલ ડો.આંબેડકરજીની પ્રતિમાને ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓએ ફુલહાર કર્યા હતાં, ભાજપ તરફથી પ્રમુખ બિનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, નેતા આશીષ જોશી, ગોપાલ સોરઠીયા, ગીરીશભાઇ અમેથીયા તેમજ કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ દિગુભા જાડેજા, આનંદ ગોહીલ, વશરામ ચંદ્રપાલ, પાર્થ પટેલ, કિશન નનજાર સહિતના અગ્રણીઓએ પ્રતિમાને હારતોરા કરી શ્રઘ્ધાસુમન અર્પણ કર્યુ હતું.