જામનગરમાં ‘ગૌ સમ્માન’ આહવાન અભિયાન: ગૌભક્તોની વિશાળ રેલી
ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત
જામનગર શહેરમાં આજે ગૌ સમ્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌસેવા, ગૌસુરક્ષા અને ગૌમાતાના સમ્માનના મુદ્દે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો એકત્ર થયા હતા.આ કાર્યક્રમ અંતર્ગત સવારે જોગર્સ પાર્ક, વી.માર્ટ પાસે ગૌભક્તો ભેગા થયા બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. ગૌભક્તોએ ગૌમાતાના રક્ષણ અને સમ્માન માટે સરકાર સમક્ષ અસરકારક પગલાં લેવા માંગ ઉઠાવી હતી.ગૌ સમ્માન આહવાન અભિયાન સમિતિ-જામનગરના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ ગૌમાતાની સેવા અને સુરક્ષા માટે દેશવ્યાપી જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ત્યારબાદ જિલ્લા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી, ગુજરાતના રાજ્યપાલ તથા રાજ્યના મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર પાઠવવા રજૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન ગૌમાતાના રક્ષણ અને ગૌહિત માટે વિવિધ સૂત્રોચ્ચારો સાથે ગૌભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application