મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ છોકરાઓએ તેમના મિત્ર સાથે તેના જન્મદિવસ પર તેને બિયર અને દારૂ ન આપવા બાબતે ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો વધી ગયો કે તેમની વચ્ચે મારામારી થઈ. આ પછી નારાજ મિત્રોએ યુવકને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં યુવકનું મોત થયું છે. ઘટના બાદ ત્રણેય ડરીને પોતાના ઘરે ભાગી ગયા હતા પરંતુ પોલીસે આરોપીને પકડી લીધો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થાણે જિલ્લાના ઉલ્હાસનગર શહેરમાં બિયર અને શરાબને લઈને થયેલી લડાઈને પગલે ત્રણ યુવકોએ કથિત રીતે જન્મદિવસની પાર્ટીનું આયોજન ન કરવા બદલ તેમના મિત્રને બિલ્ડિંગના ચોથા માળેથી ધક્કો મારી દીધો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવક પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. અકસ્માતમાં મકાન પરથી પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ તેના મિત્રો ડરી ગયા અને ભાગી ગયા.
જો કે તપાસ બાદ પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિલ પૌડવાલે જણાવ્યું હતું કે, "કોર્ટે આરોપીને 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.” પૌડવાલે કહ્યું કે મૃતકની ઓળખ કાર્તિક વાયલ તરીકે થઈ છે, જ્યારે આરોપી ત્રણેયની ઓળખ ધીરજ યાદવ (23), નિલેશ ક્ષીરસાગર (23) અને સાગર કાલે (24) તરીકે થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech