રાજ્યમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પરીક્ષા અંગે મોટું અપડેટ આવ્યું છે. હવે લોકરક્ષકની ભરતીની પરીક્ષાની પધ્ધતિમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ અલગથી આપવામાં આવતા હતા પરંતુ હવે દોડ નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના કોઈ ગુણ આપવામાં આવશે નહિ.
આ ઉપરાંત હવેથી 100 માર્કના MCQ ના બદલે હવેથી 200 માર્કના MCQનું પેપર લેવાશે. જેમાં પાસ થવા માટે 40 % ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પહેલા નિયમો મુજબ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ માર્કની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ માર્કનું ૩ કલાકનું MCQનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ૪૦% ગુણ ફરજિયાત લાવાના રહેશે.
નેશનલ ડીફેન્સ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે જે ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે. એટલે કે NFSU અથવા RRU માં કરેલ કોર્સમાં એક વર્ષ માટે 3, 2 વર્ષ માટે 5, 3 વર્ષ માટે 8 અને 4 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે 10 ગુણ આપવામાં આવશે. જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નવા મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech