જામનગર: કિશાનચોક નજીક પગના દુ:ખાવાથી કંટાળી પ્રૌઢે વખડા ધોળ્યા
ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં મૃત્યુ થયું
જામનગરના કિશાનચોક નજીક ઉનની કંદોરી સામે રહેતા એક પ્રૌઢે પગના દુ:ખાવાથી કંટાળીને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા શોકનુ મોજુ ફેલાયુ હતું.
ઉનની કંદોરીની સામે રહેતા લાલજીભાઇ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૬૦) નામના પ્રૌઢને છેલ્લા બે વર્ષથી પગ, ગોઠણની ઘુંટીમાં ખુબજ દુ:ખાવો થતો હતો, યોગ્ય રીતે હલન ચલન કરી શકતા ન હોય જેથી આ દુ:ખાવાથી કંટાળીને પોતાને ઘરે ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે, આ બનાવ અંગે ભરત લાલજીભાઇ વાઘેલા દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી.