વેણું નદી કિનારે બીરાજમાન હાજરાહજુર બાવીસી માતાજી મંદિર (કોટડા) ખાતે તા.૧/૫/૨૦૨૬ શુક્રવારના રોજ કોડીયાતર પરીવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદર કોડીયાતર પરીવારના ભીખુભાઇ કિશાભાઇ, ભરતભાઇ ભીખુભાઇ, લાખાભાઇ ભીખુભાઇ તેમજ સમગ્ર કોડીયાતર પરીવાર દ્વારા કોટડાબાવીસી માતાજી મંદિરે ૧લી મે શુક્રવારના રોજ ૫૨ ગજની ધજા, નવચંડી યજ્ઞ તેમજ ભોજનસમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સરવે માઇ ભકતોને આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.