BREAKING NEWS

જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને નોટીસ 

  • July 17, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને નોટીસ 

ખાણીપીણીની દુકાનોમાં મનપાના એસએસઆઇ દ્વારા ચેકીંગનો દૌર

દંડની પણ વસૂલાત: સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ કરાઇ 

જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને મનપા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં મનપાના એસએસઆઇ દ્વારા ચેકીંગ હાથ ધરી દંડની વસૂલાત પણ કરવામાં આવી રહી છે. વેપારી અને દુકાનદારોને સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
​​​​​​​
જામનગરમાં લોક સુખાકારી અને જન આરોગ્ય જળવાઇ રહે તે માટે મહાનગરપાલીકા દ્વારા કમર કસવામાં આવી છે. મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાની સૂચનાથી શહેરમાં સ્વચ્છતા જાળવવા ખાસ ઝુંબેશ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત મનપાના એસએસઆઇ દ્વારા ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ કરી જાહેરમાં ન્યુસન્સ એટલે કે ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને નોટીસો ફટકારવામાં આવી છે. આટલું જ નહીં દંડની પણ વસૂલાત કરવામાં આવી રહી છે. મનપા દ્વારા ચેકીંગના દૌરથી વેપારી અને દુકાનદારોમાં દોડધામ મચી ગઇ છે. આટલું જ નહીં વેપારી અને દુકાનદારોને સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ પણ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application