રાજકોટ ડિવિઝનમાં બ્લોકના કારણે બે ટ્રેનોનું સમયપત્રક બદલાયું 

  • May 27, 2025 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝનમાં બ્લોકના કારણે બે ટ્રેનોનું સમયપત્રક બદલાયું 

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે.

આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:

1)  ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 28.05.2025 ના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય 08:30 વાગ્યાને બદલે 2 કલાક મોડી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે.

2)  ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 28.05.2025 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.
​​​​​​​

ટ્રેનોના સંચાલન સમય વિશે વધુ માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application