અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરવામાં આવેલી ટ્રેનો:
· ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ ૨૭.૦૧.૨૦૨૬ અને ૨૮.૦૧.૨૦૨૬ના રોજ રદ રહેશે.
· ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ ૨૬.૦૧.૨૦૨૬ અને ૨૭.૦૧.૨૦૨૬ના રોજ રદ રહેશે.
આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો:
ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તારીખ ૨૭.૦૧.૨૦૨૬ના રોજ સાબરમતી–અમદાવાદ વચ્ચે એક ટ્રિપ માટે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ–સાણંદ–સાબરમતી–અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ–કટોસણ રોડ–કલોલ–સાબરમતી માર્ગ પરથી દોડશે. આ દરમિયાન આ ટ્રેનને સાણંદ અને સાબરમતી જંકશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં અને સાબરમતી બીજી (બ્રોડ ગેજ) સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે. આ ટ્રેન સાબરમતી જંકશનને બદલે સાબરમતી (બીજી) સ્ટેશન પર યાત્રા પૂર્ણ કરશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in પર તપાસ કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.