આરજેડીના સભ્ય સુનિલકુમાર સિંહનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. આ દરમિયાન આરજેડી સભ્ય કારી સોહેબને આગામી સત્રના પ્રથમ બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધ્યક્ષે વિધાન પરિષદમાં આ જાહેરાત કરી છે.
સદસ્યતા સમાપ્ત કર્યા બાદ સિંહે ગૃહમાં કહ્યું કે, જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી રહી છે તેની વાત તો સાંભળવી જોઈએ. તેમને ડૉ.રામવચન રાય પર આરોપ લગાવ્યો કે, આ બધુ ઉપાધ્યક્ષ બનવા માટે કરવામાં આવ્યું છે.
બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રીનું અપમાન કરવાનો હતો આરોપ
બજેટ સત્ર દરમિયાન RJD MLC સુનિલ સિંહે કરેલી મિમિક્રી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની મજાક મોંઘી સાબિત થઈ છે. આ મામલો બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન ગૃહમાં નીતિશ કુમાર સાથેના ગેરવર્તણૂક સાથે જોડાયેલો હતો. આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. ભીષ્મ સમિતિની માંગ પર તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. કેસ સંબંધિત વીડિયો તપાસ્યા બાદ આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું હતું.
ગુરુવારે વિધાન પરિષદના ઉપાધ્યક્ષ રામવચન રાયે સુનીલ સિંહનું સભ્યપદ રદ કરવા માટે રિપોર્ટ સોંપ્યો હતો. એથિક્સ કમિટીએ સુનીલ સિંહનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. ત્યારથી એવું લાગતું હતું કે, જાણે તેમની સભ્યતા દાવ પર લાગી ગઈ હતી.
વિધાન પરિષદમાં આરજેડીના બે સભ્યો ઘટ્યા
શુક્રવારે સુનીલ સિંહનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. એક વર્ષમાં વિધાન પરિષદમાં સભ્યપદ ગુમાવનાર આરજેડીના આ બીજા સભ્ય છે. અગાઉ આરજેડીની ભલામણ પર રામબલી સિંહનું સભ્યપદ પણ સમાપ્ત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech