ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ઝોમાટો બાદ સ્વિગી સાથે હાથ મિલાવ્યો ; ટૂક સમયમાં દેશભરમાં શરુ થશે સર્વિસ
આપણા દેશમાં દૈનિક કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને ભોજનને લગતા પ્રશ્નનું નિરાકરણ થઇ ગયું છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગીએ આઈઆરસીટીસી સાથે ભાગીદારી કરી છે. જેના કારણે હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ મુસાફરો સ્વિગી એપ દ્વારા મૂવિંગ ટ્રેનમાં તેમની સીટ પર સીધું તેમનું મનપસંદ ફૂડ ડિલિવર કરી શકશે.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન એટલે કે આઈઆરસીટીસી અને સ્વિગીએ મળીને ચાલતી ટ્રેનમાં મુસાફરોને તેમની સીટ પર તેમનું મનપસંદ ભોજન પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, આ સુવિધા ફક્ત ૪ સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે, જેમાં બેંગલુરુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. જોકે, આગામી દિવસોમાં આ સુવિધા ભારતના અન્ય સ્ટેશનો પર પણ શરૂ કરવામાં આવશે.
આ પહેલીવાર નથી કે જ્યારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ટ્રેનમાં મુસાફરોને ભોજન આપવા માટે ફૂડ ડિલિવરી એપ સાથે હાથ મિલાવ્યા હોય. આઈઆરસીટીસીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝોમાટો સાથે પણ ભાગીદારી કરી હતી, જે ભારતમાં ઘણા સ્ટેશનો પર ફૂડ ડિલિવરી સેવા પૂરી પાડે છે.
જે મુસાફરો આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે તેઓ આઈઆરસીટીસી ઈ-ક્લાસીફીકેશન પોર્ટલ દ્વારા તેમનો પીએનઆર નંબર દાખલ કરીને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરળતાથી ફૂડ ઓર્ડર કરી શકે છે. આ સમય દરમિયાન, પેસેન્જર્સ એ જ એપમાં રેસ્ટોરન્ટનું નામ, ફૂડ અથવા તો તેમની કોઈપણ મનપસંદ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરી શકે છે. મુસાફરો ભોજન માટે ઑનલાઇન અથવા કેશ ઓન ડિલિવરીથી ચૂકવણી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech