ચાલતી ટ્રેનમાં મહિલા સાથે કોઈ અણબનાવ થયો હોવાની આશંકા, ગંગા કિનારે પાણી ઓછું હોવાથી બચ્યો જીવ, ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલ લઇ જવાઇ
કાનપુરના ગંગાઘાટ પાસે રેલવે લાઈન નીચે કેટલાક ખલાસીઓને એક મહિલા મળી હતી. તેના શરીર પર કપડાનો એક પણ ટુકડો નહોતો. ખલાસીઓએ તરત જ તેણીને કપડાથી ઢાંકી, મહિલાને આ બાબતે પુછતાછ કરતાસામે આવ્યું કે આજે સવારે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યાની વચ્ચે કેટલાક લોકોએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. જેના કારણે તે પુલ નીચે ગંગા નદીમાં પડી હતી. નદીમાં પાણી ઓછું હતું તેથી તે નદી કિનારે પહોંચી. મહિલાની વાત સાંભળ્યા બાદ ખલાસીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ, કારણ કે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.
જ્યારે પોલીસે મહિલાને પૂછ્યું કે શું તેની સાથે કંઈક ખોટું થયું છે? આ અંગે મહિલા સ્પષ્ટ જવાબ આપી શકી ન હતી. પોલીસનું કહેવું છે કે મહિલા આઘાતમાં હોઈ શકે છે. આ કારણથી તે કંઈ કહેવાની સ્થિતિમાં નથી. હાલ તેની સારવાર કરવામાં આવશે. મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવશે જેથી જાણી શકાય કે મહિલા સાથે બળજબરી કરવામાં આવી છે કે કેમ.
બીજી તરફ ખલાસીઓએ જણાવ્યું કે જ્યારે તેણે મહિલાને જોઈ ત્યારે તે ખૂબ જ ડરી ગયેલી અને નર્વસ દેખાતી હતી. તેના શરીર પર કપડાનો એક પણ ટુકડો નહોતો. શરીર પર ઈજાના નિશાન હતા. મહિલાને ૮૦ ફૂટ ઊંચા પુલ પરથી ધકેલી દેવામાં આવી હતી. જેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ હતી.
જ્યારે આ મામલે ગંગાઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજકુમાર સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કાનપુર જીઆરપીના એસએચઓએ કહ્યું કે આ મામલો હજુ સુધી તેમના ધ્યાન પર આવ્યો નથી. જે પુલ પરથી મહિલાને ધકેલવામાં આવી હતી તે કાનપુર જીઆરપી અને ઉન્નાવ પોલીસ બંને હેઠળ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech