ભાવનગરના સિદસરમાં એક કરૂણ ઘટના બની છે. અહીં સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ બાળકીઓ બોર તળાવવામાં નહાવા માટે પડી હતી. પરંતું પાંચમાંથી ચારેયના ડૂબી જવાથી મોત થયા છે. એકની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. ત્રણે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.
બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે. જેમાં કિંજલબેન મનીષભાઇ ચારોડિયા ઉંમર - 13 વર્ષના ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ રાશીબેન મનીષભાઈ ચરોડિયા ઉંમર - 9 વર્ષ, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા ઉંમર - 13 વર્ષ તથા અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉંમર - 13 વર્ષ તેમજ ધીંગીબેન વિજયભાઈ પરમાર ઉંમર - 8 વર્ષના મોત થયા છે. આ તમામ મફતનગર બોરતળાવ પાછળ દેવી પૂજક વાસના રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech