BREAKING NEWS

જામનગર : સતાપર ગામમાં માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત

  • November 07, 2025 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના સતાપર ગામમાં રહેતા એક યુવાને માનસિક બિમારીના કારણે કંટાળી જઇને જંતુનાશક દવા પી આયખુ ટુંકાવી લીધુ છે.
​​​​​​​

સતાપર ગામની ગજાનંદ સોસાયટીમાં રહેતા અમિત કરશનભાઇ નકુમ ઉ.વ.૪૩) નામના યુવાનને છેલ્લા ૩-૪ વર્ષથી માનસિક બિમારી હોય અને તેઓને પોરબંદર હોસ્પીટલ ખાતે સારવાર ચાલતી હતી બિમારીના કારણે વિચારો કર્યે રાખતા હતા, દરમ્યાન કંટાળી જઇ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું.


આ બનાવ અંગે સતાપર ગામમાં રહેતા અજય કરશનભાઇ નકુમ દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application