અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે 'નારી સ્વાભિમાન આંદોલન' પર બેઠા છે. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતાં હતાં. જો કે, તેમણે વધુ 24 કલાક ધરણા પર બેસવાની જાહેરાત કરી છે. તેમજ આવતીકાલે શનિવારે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી છે.
24 કલાકથી પેટમાં અન્નનો દાણો નાખ્યો નથી
પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માગ કરી હતી.
અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો સવાલ કર્યો હતો. સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાયબ દંડક કૌશિક વેકરિયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માંગ કરી હતી. આવતીકાલે શનિવારે સવારે 10 વાગ્યે ધરણાં પૂર્ણ થશે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગારબંધ રાખવા વેપારીઓને મારી અપીલ છે. ધરણા વધારવા અરજી કરી છે. મંજૂરી મળશે અને જો નહીં મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે.
હાઇકોર્ટમા પિટિશન દાખલ કરવા તજવીજ
બનાવટી લેટરકાંડમાં પાયલ ગોટીએ ખુદ પોલીસ વડા ખરાત અને પીઆઇ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ વડાએ જ SITની રચના કરી હતી. જો કે, પાયલ ગોટીએ આ સીટનો અસ્વીકાર કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામા સીટ રચવાની માંગ કરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ આ મુદે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મામલે હવે રાજકારણ ગરમાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech