શહેર અને જિલ્લામાં આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પડધરીમાં અઠવાડિયા પહેલા ગળેફાંસો ખાઈ લેનાર યુવતીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જયારે બીજા બનાવમાં ોરિયાળી ગામે પર પ્રાંતીય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા બે પુત્રોએ માતાની છત્રછાંયા ગુમાવી છે.
મળતી વિગતોનુંસાર પડધરીના ખામટા ગામે રહેતી અને રાજકોટની ગીતાંજલિ કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી હેતલ ભરતભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) નામની યુવતીએ ગત તા.૨૨ના ઘરે પાઈપમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો જોઈ જતા બચાવી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ અઠવાડિયાની લાંબી સારવાર દરમિયાન આજે વહેલી સવારે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત પાછળના કારણમાં જે તે સમયે યુવતીના પરિવારે જણાવ્યું હતું કે, પરિવારની ર્આકિ સ્િિત બરાબર ન હોઈ અને હેતલ રાજકોટ કોલેજનીમાં અભ્યાસ કરતી હતી કોલેજની ફી ભરવામાં મોડું તા પોતાનો અભ્યાસ ચૂકાઈ જશે એ ચિંતામાં પગલું ભર્યું હતું. વધુ તપાસ પડધરી પોલીસે હા ધરી છે. બે ભાઈને એકની એક બહેનના મોતી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
બીજા બનાવામાં પડધરીના ોરીયાળી ગામે વાડી વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન ગજાભાઈ વાસ્કેલ (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગત તા.૧૯ના વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર ર્એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું લાંબી સારવાર દરમિયાન મોત યું હતું. મૃતકને સંતાનમાં બે પૂત્ર છે અને માનસિક બીમારીી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બંને બનાવમાં પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech