જામનગરમાં આગામી તા.14 જૂનના યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે
જામનગર તા.12 જુન, સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ 21 જૂનના ''આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'' ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 14 જૂનના રોજ યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14/06/2024 ના રોજ સાંજના 06:00 થી 08:00 કલાક દરમિયાન રણમલ તળાવ, ગેટ નંબર 1, પાર્કિંગ એરિયા, જામનગરમાં સરકારી મહિલા કર્મચારીશ્રીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે https://forms.gle/JG1n47uYg89uGoGe6 આ લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં મહત્તમ કર્મયોગીઓ સંમિલિત બને તેમ નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech