સંજુની જેલમાં ‘‘ગાંધીગીરી’’ કેદીઓ, સ્ટાફને મફત ફિલ્મ
મુન્નાભાઈ તરીકેની અવસ્થા હવે સંજય દત્તમાં કાયમ જોવા મળે છે અને જેલમાં કેદીઓ પ્રત્યે પણ તેની ‘ગાંધીગીરી’ વ્યકત કરી છે. આર્થર રોડ જેલથી પુણેની યરવડા જેલમાં શીફટ થયા બાદ સંજય દત્ત જેલના બધા કેદીઓને ખુશ કરવાની યોજના ઘડી છે.
મુંબઈની જેલમાં કેદીઓ પ્રત્યે સહાનુભુતી રાખીને ‘પોલીસગીરી’ ફિલ્મની 500 ટીકીટો બુક કરવાની દત્તે સુચના આપી દીધી છે. ‘પોલીસગીરી’ ફિલ્મના પ્રોડયુસરને સંજયે આ વાત પહોંચાડી દીધી છે અને બધુ ગોઠવાઈ ગયું છે. રાહલ અગ્રવાલ સહાયક પ્રોડયુસર છે અને સંજુના સુચન મુજબ કામ કરી રહ્યા છે. જેલના કેદીઓ માટે 500 ટીકીટો અનામત રાખી દેવાશે. જેલના સ્ટાફને પણ ફિલ્મ બતાવાશે. કેદીઓ સંજુના પોલીસ ઓફીસર તરીકેના પાત્રને જુએ તો એમને આનંદ થશે.