ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા પાસે બે કાર વચ્ચેની ટક્કરમાં 4 લોકો મોત, આ જગ્યા પર 13 દિવસમાં 9 લોકો કાળનો કોળિયો બન્યા

  • May 25, 2025 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા ગામ પાસે આજે બપોરના સમયે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાઈ છે. સાંઢીડા પાસે 13 દિવસ પહેલા પણ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. આમ 13 દિવસમાં 9 લોકો કાળનો કોળિયો બની ગયા છે.  


ચાર મૃતકોની વિગત

  1. મિહિર પંકજભાઈ મારુ
  2. શ્યામબેન કેશુભાઈ મારુ
  3. ગીતાબેન પંકજભાઈ મારુ - તમામ રહે. મૂળ વતન કમળેજ, જી.ભાવનગર (હાલ વીઆઇપી રોડ શેલા અમદાવાદ)
  4. એક અજાણ્યો યુવક


બંને કારનો કચ્ચારઘાણ નીકળી ગયો

મળતી માહિતી મુજબ, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચ્ચારઘાણ નીકળી ગયો છે. 


સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


13 દિવસ પહેલા 3 સગા ભાઈ અને પુત્ર સહિત 5ના મોત થયા હતા

12મેના એટલ કે 13 દિવસ પહેલા ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજે(25/05) ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 4 મોત થયા છે. છેલ્લા 13 દિવસમાં બે અકસ્માતમાં કુલ 9ને કાળ ભરખી ગચો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application