અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના ૯૦ કેસમાંથી ૩૯ દર્દી ડિસ્ચાર્જ: હાલમાં ૫૧ દર્દી હોમઆઇસોલેશનમાં
જામનગર શહેરમાં કોરોના કેળો મુકતો નથી, ગઇકાલે કોર્પોરેશનના રિપોર્ટ મુજબ વૂધુ ૬ દર્દીઓને કોરોના પોઝીટીવ લાગુ પડયો છે, અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૯૦ કેસ નોંધાયા છે, ગઇકાલે ૭ દર્દી સાજા થઇ જતાં તેમને હોમ આઇસોલશનમાંથી મુકત કરાયા છે અને અત્યાર સુધીમાં કુલ ૩૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, હાલમાં હોમ આઇસોલેશનમાં ૫૧ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
મળતી માહિતી મુજબ ગઇકાલે લીમડાલાઇનમાં રહેતી ૧૮ વર્ષની યુવતિ, ડેન્ટલ હોસ્ટેલમાં રહેતો ૨૨ વર્ષનો યુવાન, પંચવટી ગૌ શાળા વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષની યુવતિ, સુમેરકલબ રોડ પર રહેતી ૭૧ વર્ષની વૃઘ્ધા, કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતી ૪૭ વર્ષની યુવતિ અને આર્યસમાજ રોડ પર રહેતી ૫૪ વર્ષની વૃઘ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ખાસ કરીને અત્યાર સુધી ડેન્ટલ હોસ્પિટલની હોસ્ટેલમાં ડોકટર દર્દીઓને વધુ કોરોના પોઝીટીવ થયો છે, અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કુલ ૯૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં ૬૫ ટકાથી વધુ સ્ત્રી દર્દીઓનો સમાવેશ થાય છે. છેલ્લા દશેક દિવસથી કોરોનાનું પ્રમાણ ખુબ જ વઘ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં કોરોના પોઝીટીવના કેસો જોવા મળે છે, કોર્પોરેશન દ્વારા ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે.
કોરોના પોઝીટીવ કેટલાક દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહેતા ન હોવાની ફરિયાદ
જામનગર શહેરમાં કોરોના દિન-પ્રતિદિન વધતો જાય છે, કોર્પોરેશનના ૧૨ કેન્દ્રોમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરવાનું જાહેર કર્યુ છે, પરંતુ આંચકાજનક વાત એ છે કે, જે દર્દીને કોરોના પોઝીટીવ થાય છે તેને ડોકટરો દ્વારા માસ્ક પહેરી રાખવા અને હોમ આઇસોલેશનમાં રહેવા સુચના આપવામાં આવે છે, પરંતુ એવી વિગતો બહાર આવી છે કે, કેટલાક દર્દીઓ આ નિયમનો ભંગ કરે છે અને રસ્તા ઉપર કે શેરી-ગલીમાં પણ જોવા મળે છે. આનાથી વધુ સંક્રમણનો સતત ભય રહે છે તેથી ડોકટરોએ પણ કોરોના પોઝીટીવના દર્દીઓને કડક સુચના આપીને હોમ આઇસોલેશનમાં જ રહેવા કહેવું જોઇએ.