ગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક

  • June 15, 2025 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધન પર રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોક જાહેર કર્યો છે. સોમવારે, જૂન 16, 2025 ના રોજ, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના સન્માનમાં આ શોક દિવસ પાળવામાં આવશે. સોમવારે સાંજે તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આ સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.




વિજયભાઈ રૂપાણી ગુજરાતના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિત્વ હતા અને તેમણે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application