દ્વારકા: ભાણવડ પંથકમાં બે દિવસમાં વિશાળકાય ૬ અજગરનું  રેસ્ક્યુ

  • August 13, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાણવડ પંથકમાં બે દિવસમાં વિશાળકાય ૬ અજગરનું  રેસ્ક્યુ

એનીમલ લવર્સ ચેરી.ટ્રસ્ટ તથા વનવિભાગની સંયુકત ટીમે ઓપરેશન હાથ ધર્યું

ભાણવડ પંથકના ટીંબડી, મોખાણા, સઈ દેવળીયા, વિજયપુર અને વાડી વિસ્તારોમાંથી છેલ્લા બે દિવસમાં ૬ થી ૧૨ ફૂટ સુધીના ૬ અજગરોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સંયુક્ત કામગીરી કરીને તમામ અજગરોને સુરક્ષિત બચાવી લીધા હતા.

વન્યજીવ સંરક્ષણ ધારાની અનુસૂચિ-૧ માં આવતો આ દુલર્ભ જીવ ભાણવડ અને બરડા પંથકમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે, જે આ વિસ્તારની સમૃદ્ધ જૈવ વિવિધતા અને મજબૂત નિવસનતંત્રનો ઉતમ પુરાવો છે.

આ કામગીરીમાં એનિમલ લવર્સ ટીમ તથા વન વિભાગના કોટાભાઈ, ભાટિયાભાઈ, લક્ષેશ વાણિયા અને નીતિન પાટડિયા જોડાયા હતા. તમામ અજગરોને આર.એફ.ઓ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application