જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા એક વેપારી ઉપર તે જ ગામના એક શખ્સે તલવાર વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. યુવતી પર ખરાબ નજર રાખવા બાબતેની તકરારમાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા અને પાન મસાલા ની દુકાન ચલાવતા પ્રવીણભાઈ નારણભાઈ ચાવડા નામના વેપારીએ પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેજ ગામના મનાભાઈ ગોજીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી મનાભાઈ ના ભાઈએ અગાઉ ફરિયાદીની પુત્રી સામે ખરાબ નજરથી જોતાં તે અંગે ઝઘડો થયો હતો. જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હોવાથી મેઘપર પોલીસ તેને શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૪૪ વર્ષની ઉમરે કેન્સર સામે જંગ હારી આસામની ફેમસ સિંગર ગાયત્રી હજારિકા
May 17, 2025 03:10 PMટ્રમ્પનો યુટર્ન: પહેલા કહ્યું ભારતે ઝીરોનો ઓફર કરી, હવે બોલ્યા ડીલ માટે કોઈ ઉતાવળ નથી
May 17, 2025 03:06 PMઆદિત્યાણા ગામે વીડિયો શુટીંગનો ધંધો કરતા યુવાન ઉપર થયો ઘાતક હુમલો
May 17, 2025 03:00 PMસીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે થઇ મારામારી
May 17, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech