અંબાણી પરિવારના પુત્રવધૂ રાધિકાએ જામનગરમાં આયુર્વેદ-ઈટ્રાની મુલાકાત લીધી

  • June 12, 2025 11:22 AM 

​​​​​​​
દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રવધુ રાધિકા અંબાણીએ ગઇકાલે જામનગરમાં આયુર્વેદ સેન્ટરની મુલાકાત લીધી હતી અને આયુર્વેદ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત વૈશ્વિક રિલાયન્સ રિફાઇનરીના સર્વેસર્વા મુકેશ અંબાણીના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ ગઇકાલે બપોરે જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રીસચ ઇન આયુર્વેદ (ઇટ્રા) ની મુલાકાત લીધી હતી અને આયુર્વેદ સારવાર પદ્ધતિ, ઔષધીઓ વગેરે અંગેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ બપોરે અઢી વાગ્યે તેઓ ઇટ્રા સેન્ટરમાં આવી પહોંચ્યા હતા અને સાડા પાંચ વાગ્યા સુધી રોકાયા હતા, લગભગ ત્રણ કલાક સુધીની તેમની આ લાંબી મુલાકાત સમયે ઇટ્રાના ડાયરેક્ટ ડો. તનુજા નેસરી પણ સાથે જોડાયા હતા અને તેમણે આયુર્વેદની સારવાર પદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application