અમરેલીના વૈદ સાથે સબંધીઓએ 53 લાખની છેતરપીંડી આચરી

  • May 07, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના આયુર્વેદિક ડોક્ટરને સબંધીઓએ ચૂંટણીના પ્રચાર-પ્રસાર અને પ્રમોશનના કામમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી પ્રૌઢ પાસેથી કટકે કટકે રૂ.53 લાખનું રોકાણ કરાવ્યા બાદ પ્રૌઢએ વળતર માગતા વળતર અને મુદ્દલ રકમ ન આપી ફરિયાદ કરશો તો એક્સીડેન્ટ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રૌઢએ તેના ફઈ, ફઈનો દીકરો અને તેની પત્ની સામે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ મુળ રહે. કુકાવાવના અને હાલ અમરેલીમાં ચિતલ રોડ પર મહિલા સોસાયટી, બ્લોક નં.સી-૨માં રહેતા વૈદ પુનીતભાઇ રમેશચંદ્ર વ્યાસ (ઉ.વ.૫૧) નામના પ્રૌઢે અમરેલી સીટી પોલીસ મથકમાં અમરેલીના બ્રાહ્મણ સોસાયટી, ગોપાલનગર-૨ ની પાછળ યોગેશ્વર નગરમાં રહેતા ફઈ રેખાબેન મહેશભાઇ મહેતા તેનો દીકરો વિશાલ મહેશભાઇ મહેતા અને તેની પત્ની વિધી ઉર્ફે પુનમબેન વિશાલભાઇ મહેતાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, રેખાબેનનો દીકરો વિશાલ નમ્ર સોલ્યુંશન નામની એજન્સી ચલાવે છે અને પોતે ચૂંટણીના પ્રચાર પ્રસાર અને પ્રમોશનની જાહેરાતનું કામ કરે છે. આ કામમાં પૈસા રોકવાથી સારું એવું વળતર મળે છે જે વાત કર્યા બાદ ફઈ રેખાબેન અને તેની પુત્રવધુ વિધિ ઉર્ફે પૂનમએ પણ પૈસા રોકવા માટેનું કહેતા પ્રૌઢના પત્ની નિવૃત શિક્ષક હોય તેના અને મારી પાસેના મરણ મૂડીના પૈસા હોય જે કટકે કટકે 53,04000 આપ્યા હતા અને વિશ્વાસ અપાવવા માટે અમને કોરા બે ચેક આપ્યા હતા.

કેટલોક સમય થયા બાદ રોકાણ સામે કોઈ વળતર ન મળતા બહાના બતાવતા હતા. બાદમાં રોકાણ કરેલા પૈસા પરત માગ્યા હતા જો પૈસા ન હોય તો કોરા ચેક બેંકમાં નાખવાનું કહેતા ફઈ રેખાબેન અને પુત્રવધુ વિધિ ઉર્ફે પૂનમએ ધમકી આપી હતી કે, જો ચેક બેંકમાં નાખશો કે ફરિયાદ કરશો તો એક્સીડેન્ટ કરાવી જાનથી મારી નાંખીશુ. પ્રૌઢની ફરીયાદના પગલે પોલીસે ત્રણેય સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એમ.વી.લુવા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application