જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતા ખવાસ જ્ઞાતિ ના બુઝુર્ગ ખવાસ જ્ઞાતિના ટાઉનહોલમાં યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જે દરમિયાન ખુરશીમાં બેઠા બેઠા બેશુદ્ધ બન્યા હતા, અને હૃદય બંધ પડી જતાં અપ મૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક ખેત્રી ફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વિનોદભાઈ બચુભાઈ બાલા નામના ૭૩ વર્ષના બુઝુર્ગ ટાઉનહોલમાં યોજાયેલા જ્ઞાતિના સ્નેહ મિલન ના કાર્યક્રમમાં ખુરશી ઉપર બેઠા હતા, અને એકાએક ચક્કર આવતાં બેશુદ્ધ બન્યા હતા.
જેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર કેતનભાઇ વિનોદભાઈ બાલાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech