ઉગમણા બારા ગામના બિમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ: દ્વારકામાં ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત
ખંભાળિયામાં ભઠ્ઠી ચોક વિસ્તારમાં આવેલી મટન માર્કેટ ખાતે રહેતી મુસ્કાન જાવેદશા દરવેશ નામની 22 વર્ષની પરિણીત યુવતીએ શનિવારે સવારના સમયે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે છતના પીઢીયામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતકનો લગ્ન ગાળો આશરે સવા વર્ષનો હતો. આ બનાવ અંગે ઈકબાલભાઈ સલીમભાઈ શેખ (ઉ.વ. 48, રહે. રાજકોટ) એ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ પીએસઆઈ ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જયારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા અનિરુદ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા નામના 28 વર્ષના ગરાસિયા યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બીમારી હોય, ગત તારીખ 9 મી ના રોજ એકાએક તેમની તબિયત લથડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ ઉગમણા બારા ગામના ઘેલુભા દેવાજી વાઘેલા (ઉ.વ. 59) એ સલાયા મરીન પોલીસને કરી છે.
દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં આવેલી કુંભાર શેરી ખાતે રહેતા રસીલાબેન રાજેશભાઈ વેગડ નામના 55 વર્ષના મહિલાએ શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ રાજેશભાઈ મોહનભાઈ વેગડએ દ્વારકા પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇમ્તિયાઝ પર આતંકવાદીઓને ખોરાક અને આશ્રય આપવાનો આરોપ હતો, નદીમાં કૂદીને કરી આત્મહત્યા
May 05, 2025 11:02 AMજામજોધપુરમાં યાર્ડની પેઢીએ ફેરવ્યુ લાખોનું ફુલેકુ
May 05, 2025 10:59 AMમેઘપર પોલીસે દિલ્હીમાંથી ૬ મોબાઈલ કર્યા કબજે
May 05, 2025 10:56 AMભાદરામાં ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બી.એ.પી.એસ મંદિરનો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો
May 05, 2025 10:46 AMજામનગર નજીક અલીયાબાડા પાસે કુતરૂં આડું ઉતરતાં ઇકો કારની ગુલાંટ
May 05, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech