આધાર પ્રમાણીકરણ ફરજીયાત: એસી અને નોન એસી વર્ગો માટે પ્રથમ ૩૦ મીનીટમાં કોઇ એજન્ટ બુકીંગ નહીં થાય: એજન્ટોએ તત્કાલ ટીકીટના બુકીંગ સમયે વપરાશકર્તાના મોબાઇલ નંબર પર ઓટીપી મોકલવાનો રહેશે
આગામી ૧ જુલાઇથી રેલ્વેની તત્કાલ ઓનલાઇન ટીકીટ બુકીંગ પઘ્ધતિમાં ધરખમ ફેરફાર થઇ રહ્યો છે. આ માટે આધાર પ્રમાણીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. આટલું જ નહીં એસી અને નોન એસી વર્ગ માટે પ્રથમ ૩૦ મીનીટમાં કોઇ એજન્ટ બુકીંગ થશે નહીં. તદ્દઉપરાંત એજન્ટોએ તત્કાલ ટીકીટના બુકીંગ સમયે વપરાશકર્તાના મોબાઇલ નંબર પર ઓટીપી મોકલવાનો રહેશે.
તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક ઍક્સેસ સુનિશ્ચિત કરવા અને વાસ્તવિક મુસાફરોના હિતોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોનો હેતુ વપરાશકર્તા પ્રમાણીકરણ વધારવા અને યોજનાનો દુરુપયોગ ઘટાડવાનો છે. નવી જોગવાઈઓ આગામી ૧ જુલાઇથી અમલમાં આવશે. જે અનુસાર આઇઆરટીસીની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે પ્રમાણિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે. વધુમાં, ૧૫ જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત ઓટીપી પ્રમાણીકરણ ફરજિયાત બનશે. પીઆરએસ કાઉન્ટર અને એજન્ટો પર સિસ્ટમ-આધારિત ઓટીપી પ્રમાણીકરણ કરવાનું રહેશે.
કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટો માટે બુકિંગ સમયે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર ઘઝઙ પ્રમાણીકરણ મોકલવાની જર પડશે. આ જોગવાઈ ૧૫ જુલાઈ ૨૦૨૫થી પણ અમલમાં આવશે. નિર્ણાયક શઆતના સમયગાળા દરમિયાન જથ્થાબંધ બુકિંગને રોકવા માટે, ભારતીય રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટોને બુકિંગ વિન્ડોની દિવસની પ્રથમ ૩૦ મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એસી વર્ગો માટે, આ પ્રતિબંધ સવારે ૧૦.૦૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી અને નોન-એસી વર્ગો માટે સવારે ૧૧.૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી લાગુ પડે છે.
આ ફેરફારો તત્કાલ બુકિંગમાં પારદર્શિતા સુધારવા અને યોજનાના લાભો સાચા અંતિમ વપરાશકર્તાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે.સીઆરઆઇએસ અને આઇઆરસીટીસીને જરી સિસ્ટમ ફેરફારો કરવા અને તે મુજબ તમામ ઝોનલ રેલવે અને સંબંધિત વિભાગોને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. દરેકને અસુવિધા ટાળવા માટે તેમના આઇઆરસીટીસી વપરાશકર્તા પ્રોફાઇલ સાથે આધાર લિંકેજ સુનિશ્ચિત કરવા મુસાફરોને અનુરોધ કરાયો છે.