સમગ્ર ગુજરાત રાજયમાં ચેક રિટર્નના કેસો પૈકી સૌથી વધુ આશરે ચાર લાખથી વધુ કેસો અમદાવાદમાં પડતર છે. રાજયમાં ચેક રિટર્નના જે કુલ પડતર કેસો છે, તેમાં એકલા અમદાવાદમાં જ આશરે 60 ટકા કેસો છે.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશનના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ સભ્ય બ્રિજ અનિલ કેલાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે વધુ ચાર નવી કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, ચેક રિટર્ન કેસ માટે 19 કોર્ટ એક જ પરિસરમાં કાર્યરત છે. આ ઉપરાંત ઓનલાઇન કોર્ટમાં એક ન્યાયાધીશની પણ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે, ચેક રિટર્ન કેસ માટે કોર્ટની સંખ્યા 23 અને એક ઓનલાઇન કોર્ટ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
હાઇકોર્ટના નિર્ણયથી અપના બજાર પરિસરમાં ફિઝિકલ ચેક રિટર્ન કોર્ટની કુલ સંખ્યા 23 થઈ જશે. વધુમાં, ઓનલાઇન કોર્ટમાં એક જજની નિમણૂક કરવામાં આવી છે, જેનાથી આવા કેસોનું સંચાલન કરતી કુલ 24 કોર્ટ થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech