ધ્રોલમાં રવિવારે સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ

  • January 11, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરધોળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા દિપસિહજી રાજપૂત છાત્રાલય ધ્રોલ ખાતે તા.૧૨/૦૧/૨૦૨૫ ના સવારે ૧૦ વાગ્યે થી સાંજના ૬ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલુ રહેશે, હરધોળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ધ્રોલ જોડિયા તાલુકાના માજી સૈનિકો દ્વારા સંગઠન કરવામાં આવ્યું છે. ધ્રોલ,જોડિયા, જામનગરના માજી સૈનિકો રક્તદાન કરે છે સાથે જ અન્ય ભાઈઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરે છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ ફાઉન્ડેશન ના પ્રમુખ ગીરીરાજસિંહ જાડેજા ની વાત કરીએ તો તેવો ૧૭ વર્ષ સુધી આર્મી રહી દેશની સેવા કરી છે.


કોરોના કાળમાં લોકો ઘર ઘર સુધી ઓક્સિજન ની બોટલ દવાઓ અન્ય મેડિકલ સેવા આપી છે.તેમના ટ્રસ્ટ દ્વારા અન્ય મેડિકલ સુવિધા વીલ ચેર,એરબેડ, ટોયલેટ ખુરશી, વિકલાંગ માટે લાકડી જેવી વસ્તુઓ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. બીનવારસુ લોકોની અંતિમવિધી તેમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ બહોળી આવે તેવુ ગીરીરાજસિંહ જાડેજા અને માજી સૈનિકો દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application