‘ઇટ્રા’ દ્વારા ભારત સરકારના ૧૦૦ દિવસ ટી.બી.નાબૂદિના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આજે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ-તબિબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદિ માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇટ્રાના ધન્વંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧૧ સુધી આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી નાયબ નિયામક ડો. જોબન મોઢા ડિન સહિત કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 16, 2025 11:53 AMપોરબંદરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી
May 16, 2025 11:50 AMટેન્કર હડફેટે ભાણખોખરીના બાઈકચાલક આધેડનું મૃત્યુ
May 16, 2025 11:46 AMજામનગરમાં ઓનલાઈન ગેમિંગથી બેંક ખાતામાં લેવડ દેવડ કરતા બે શખ્સો ઝડપાયા
May 16, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech