વોર્ડ નં. ૪ માં પ્રિ-મોનસુન કામગીરી ઝડપથી પુરી નહીં થાય તો મેયરની જવાબદારી રહેશે

  • June 12, 2025 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર રચના નંદાણીયાએ મેયરને પત્ર લખીને લોકોના ઘરમાં ચોમાસામાં પાણી ન ભરાય તે માટે તાત્કાલીક કામગીરી કરાવવા જણાવ્યું


જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિ-મોનસુનની કામગીરી શરુ થઇ છે, ત્યારે વોર્ડ નં.૪માં આ કામગીરી ધીમી છે, ચોમાસામાં જો લોકોના ઘરમાં પાણી ભરાશે તો તેની જવાબદારી જામનગરના મેયરની રહેશે તેમ કોર્પોરેટર રચના નંદાણીયાએ મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે. 


આ પત્રમાં કહ્યું છે કે, વોર્ડ નં.૪માં જે કોન્ટ્રાકટરને અને કંપનીને પ્રિ-મોનસુનની કામગીરી આપી છે તેમણે છેલ્લા ત્રણ દિવસથી કામગીરી કરી નથી, કોઇપણ લગત અધિકારીનું સુપરવિઝન નથી, કેનાલોમાં હજુ કચરો ભરાયેલ છે તેની સફાઇ કરવામાં આવતી નથી, જો તાત્કાલીક વરસાદ પડશે તો લોકોના ઘરમાં પાણી ભરાઇ જશે, ડીમોલીશનની કામગીરીમાં હાજર રહો છો એ રીતે આ વોર્ડની વિઝીટ કરીને પ્રિ-મોનસુન કામગીરી ઝડપી બનાવવા અમારી રજૂઆત છે, નહીંતર તમામ જવાબદારી આપની રહેશે તેમ પત્રના અંતમાં જણાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application