કોર્પોરેટર રચના નંદાણીયાએ મેયરને પત્ર લખીને લોકોના ઘરમાં ચોમાસામાં પાણી ન ભરાય તે માટે તાત્કાલીક કામગીરી કરાવવા જણાવ્યું
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિ-મોનસુનની કામગીરી શરુ થઇ છે, ત્યારે વોર્ડ નં.૪માં આ કામગીરી ધીમી છે, ચોમાસામાં જો લોકોના ઘરમાં પાણી ભરાશે તો તેની જવાબદારી જામનગરના મેયરની રહેશે તેમ કોર્પોરેટર રચના નંદાણીયાએ મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે.
આ પત્રમાં કહ્યું છે કે, વોર્ડ નં.૪માં જે કોન્ટ્રાકટરને અને કંપનીને પ્રિ-મોનસુનની કામગીરી આપી છે તેમણે છેલ્લા ત્રણ દિવસથી કામગીરી કરી નથી, કોઇપણ લગત અધિકારીનું સુપરવિઝન નથી, કેનાલોમાં હજુ કચરો ભરાયેલ છે તેની સફાઇ કરવામાં આવતી નથી, જો તાત્કાલીક વરસાદ પડશે તો લોકોના ઘરમાં પાણી ભરાઇ જશે, ડીમોલીશનની કામગીરીમાં હાજર રહો છો એ રીતે આ વોર્ડની વિઝીટ કરીને પ્રિ-મોનસુન કામગીરી ઝડપી બનાવવા અમારી રજૂઆત છે, નહીંતર તમામ જવાબદારી આપની રહેશે તેમ પત્રના અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech