ભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર

  • May 07, 2025 02:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સેનાએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત મુઝફ્ફરાબાદમાં ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાં પર સ્ટ્રાઈક કરી.




ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીર સ્થિત પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત મુઝફ્ફરાબાદમાં ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાં પર સ્ટ્રાઈક કરી.


સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે - ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાકીય સુવિધાઓને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં આવી હતી. કુલ મળીને નવ (9) સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application