જામનગરમાં સંકલ્પથી સિદ્ધિ યાત્રા અંતર્ગત પ્રદર્શનને ખુલ્લું મુકતા સાંસદ

  • June 12, 2025 11:15 AM 

સમગ્ર ભારતમાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારના ૧૧ વર્ષના શાસનકાળમાં સંકલ્પથી સિદ્ધિ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે જામનગરમાં લાલબંગલા સર્કલમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શવતા પોસ્ટરો, ચિત્રો, અહેવાલો સાથેનું પ્રદર્શન યોજાયું હતું. જેનું ઉદ્ઘાટન જામનગર જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો, શહેર-જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શની નિહાળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application