મોદી-શાહની જોડીએ ચાલાકીથી પાક.ને મુર્ખ બનાવ્યું, દેશભરના 244 જિલ્લામાં મોકડ્રીલ યોજવાની જાહેરાત કરી શાહબાઝને ઊંઘતા રહેવા દીધા

  • May 07, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોદી અને શાહની જોડીએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર મધરાતે એર સ્ટ્રાઈક કરી શાહબાઝને મુર્ખ બનાવ્યા અને પાકિસ્તાની સેનાને ઊંઘતી ઝડપી લીધી. એક તરફ આજે બુધવારે દેશભરના 244 જિલ્લામાં મોક ડ્રીલ યોજવાની જાહેરાત કરી વહીવટી તંત્રને સજ્જ રહેવા એલર્ટ કર્યું અને બીજી તરફ મધરાતે જ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું.ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે 9 આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે 24 એપ્રિલના રોજ બિહારના ઝાંઝરપુરમાં એક જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ વધુ કઠોર સજા આપવામાં આવશે.


પીએમ મોદીની આ જાહેરાત પછી, પાકિસ્તાનને ખબર પડી ગઈ હતી કે પીએમ મોદી સરહદ પાર લશ્કરી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાન પણ સતત કહી રહ્યું હતું કે તેને તૈયાર રહેવાની જરૂર છે. તેણે પોતાના સૈનિકોને સતર્ક રાખ્યા. પણ તેની બધી તૈયારીઓ વ્યર્થ ગઈ. હકીકતમાં, ભારત દ્વારા કરવામાં આવેલી જાહેરાતને કારણે પાકિસ્તાન કદાચ સુસ્ત બની ગયું હશે.


હકીકતમાં,આજરોજ 7 મે રોજ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવા માટે એક એડવાઈઝરી જારી કરી હતી અને આમ કરીને જ મોદીએ પાકિસ્તાનને ગફલતમાં રાખી ધોબીપછાડ ફટકારી.પાકિસ્તાને એમ સમજ્યું કે ભારત આ મોક ડ્રીલ અને અન્ય તૈયારીઓ પૂર્ણ કર્યા પછી જ કોઈ કાર્યવાહી કરશે. પરંતુ મોક ડ્રીલ પહેલા જ ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકી દીધા.


આ જ કારણ છે કે જ્યારે વિસ્ફોટોથી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ જાગી ગયા, ત્યારે તેમણે હુમલાઓની કબૂલાત કરી અને ભારતને 'ધૂર્ત દુશ્મન' કહીને પોતાનું ભાષણ શરૂ કર્યું. આ બતાવે છે કે મોદી-શાહની જોડીએ શાહબાઝને કેવી રીતે છેતર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application