તાજેતરમાં ઓખામાં માછીમારોને ભેળસેળયુક્ત ડિઝલનું વિતરણ થયાની રાવ ઉઠી હોવાનો તથા શુદ્ધ ઇંધણનાં અભાવે સૈંકડો માછીમારો દરીયામાંથી અધવચ્ચેથી જ પરત આવતા મોટું નુકસાન થયું હોવાનો અહેવાલ 'વતઁમાન પત્રો' માં પ્રગટ થયો હતો. જે પછી તંત્ર હરકતમાં આવ્યું છે.
સૈંકડો માછીમારોની રોજીરોટીને સ્પર્શતા આ મુદ્દાની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવી છે અને આ અંગે તપાસ કરી અહેવાલ સોંપવા માટે ઓખા મત્સ્યોદ્યોગ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી, મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાનની કચેરી જામનગરને દ્વારકા નાયબ કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિપરીત વાતાવરણને કારણે માછીમારી સિઝન ૧ ઓગસ્ટને બદલે ૧૫ ઓગસ્ટથી આરંભ થઇ હતી એ પછી પણ તોફાની વાતાવરણને કારણે માછીમારી સિઝન વિલંબથી આરંભ થઇ હતી અને ઉપરથી ઇંધણમાં ભેળસેળ આવતા માછીમારો અધવચ્ચેથી પરત ફરતા મોટુ નુકશાન થયું હોવાની માછીમારોની ફરીયાદ છે.
ઇંધણમાં ભેળસેળની રાવની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ પણ ખૂલી શકે એવી અટકળો ચાલી રહી છે. હાલ તો આ મામલે તપાસનાં આદેશથી ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMદૂધ-ખાદ્ય તેલના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું, સસ્તા દાળ અને શાકભાજીએ રાહત આપી
May 23, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech