શિબિરમાં પંચાયતી માળખુ, નેતૃત્વના ગુણો, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવાઓની શક્તિને રચનાત્મક માર્ગે વાળવા અંગેની સમજૂતી અને માર્ગદર્શન અપાશે
શિબિરમાં ભાગ લેવા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર ખાતે 13 જૂન પહેલા નોંધણી કરાવવાની રહેશે
જામનગર, ૬ જૂન, ૨૦૨૫: ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા/ઝોન કક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજના રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલમાં મુકવામાં આવી છે. જામનગરમાં પણ પ્રત્યેક તાલુકા અને મહાનગરના ઝોન કક્ષાએ આ શિબિર જુલાઈ માસમાં યોજવામાં આવશે. પ્રત્યેક શિબિરમાં ૪૫ યુવક-યુવતીઓને ૪ દિવસની તાલીમ આપવામાં આવશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવક-યુવતીઓના વ્યક્તિગત વિકાસને વેગ આપવાનો છે. શિબિર દરમિયાન, નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં યુવા મંડળની સ્થાપના અને રચનાની કાર્યપદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગેની સમજૂતી અને માર્ગદર્શનનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech