ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે જો ભારત હુમલો બંધ કરશે તો અમે પણ કોઈ કાર્યવાહી નહીં કરીએ. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ભારત હુમલો બંધ કરશે તો અમે પણ કોઈ કાર્યવાહી નહી કરીએ.
ખ્વાજા મુહમ્મદ આસિફે કહ્યું કે અમે ભારત સામે કોઈ પ્રતિકૂળ કાર્યવાહી કરી રહ્યા નથી, અમે ફક્ત અમારી જમીનનું રક્ષણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે તે ભારત સામે કોઈ હુમલો નહીં કરે પરંતુ જો ભારત હુમલો કરશે તો તેને ચોક્કસ જવાબ મળશે.
આજે પાકિસ્તાન અને ભારત વચ્ચેની પરિસ્થિતિ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારતની લશ્કરી કાર્યવાહીને ‘ખેદજનક’ માને છે. ચીને કહ્યું કે તે પરિસ્થિતિ અંગે ચિંતિત છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પાડોશી છે અને ચીનના પણ પડોશી છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે પરંતુ તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરે છે. ચીને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા, પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે તેવા કોઈપણ પગલા લેવાનું ટાળવા અને શાંતિપૂર્ણ રીતે મુદ્દાનો ઉકેલ લાવવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech