જામનગર હત્યા કેસમાં પેરોલ જમ્પ કરનાર કેદી પકડાયો

  • June 12, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરોલ ફર્લો સ્કવોડે કચ્છ મુંદ્રાથી પકડી જેલમાં ધકેલ્યો

જામનગરના હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી પેરોલ જમ્પ કરેલ આરોપીને કચ્છ મુંદ્રા ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો છે. 

જામનગર એસપી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા એલસીબી પીઆઇ લગારીયા અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ભાટીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ટેકનીકલ અને હયુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી રહયા હતા.

દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ગોવિંદભાઇ, સલીમભાઇ, હાર્દિકભાઇ, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ અને દિવ્યરાજસિંહને સંયુકત બાતમી મળેલ કે સીટી-બી ડીવીઝનના હત્યાના ગુનામાં જામનગર જેલના કાચા કામના કેદી ઇમરાન દાઉદ રાજાણી રહે. પંચવટી ગૌશાળા, કચ્છી ભાનુશાળી બોર્ડીંગ સામે હાલ કચ્છ મુંદ્રાવાળો હાઇકોર્ટના તા. ૩-૧૦-૧૮ના રોજ દિન ૭ માટે વચગાળાના જામીન પર જેલમુકત થયેલ દરમ્યાન આ રજાની મુદતમાં દિન ૧૦નો વધારો થતા કેદીને તા. ૨૧-૧૦-૧૮ના રોજ જામનગર જીલ્લા જેલ ખાતે હાજર થવાનુ હતું.

પરંતુ આજ સુધી જેલ ખાતે પરત હાજર નહી રહી ૭ વર્ષથી ફરાર થઇ ગયેલ હોય જે કેદી આરોપીની તપાસ કરતા હાલ કચ્છ મુંદ્રા ખાતે રહેતો હોવાની ચોકકસ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી જામનગર જીલ્લા જેલ ખાતે  મોકલી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application